'માત્ર પહેરવાનાં કપડાં છે' - અમદાવાદ નજીકના બદરખામાં પાણી ભરાવાને કારણે કેવી ખરાબ સ્થિતિ છે?

'માત્ર પહેરવાનાં કપડાં છે' - અમદાવાદ નજીકના બદરખામાં પાણી ભરાવાને કારણે કેવી ખરાબ સ્થિતિ છે?
પ્રકાશિત

અમદાવાદમાં ત્રણેક દિવસથી વરસાદ અટકી ગયો છે. આમ છતાં જિલ્લાના અનેક ગામડાં હજુ પણ પાણીમાં ગરકાવ છે. આવું જ એક ગામ બદરખા છે.

કેટલાક પરિવારોને સ્થાનિક શાળામાં આશરો મળ્યો છે. જ્યાં સેવાભાવીઓ તેમને ભોજન તો આપે છે, તેમની સમસ્યા અનેક છે. બીબીસીએ મંગળવારે ગામની મુલાકાત લીધી અને તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.