You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'100 કીડાનો હાર લઈ આવો અને જંગલખાતું રૂ. 200 આપશે'
'100 કીડાનો હાર લઈ આવો અને જંગલખાતું રૂ. 200 આપશે'
પ્રકાશિત
મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લામાં આદિવાસી સમાજ સાલના વૃક્ષને ખૂબ જ સન્માનની નજરે જુએ છે. તે સ્થાનિક અર્થતંત્ર અને પર્યાવરણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એટલે તેને બચાવવા જરૂરી છે.
પરંતુ, હાલ તેની ઉપર સાલ બોરર કિડાનું જોખમ તોળાઈ રહ્યું છે. લગભગ 25 હજાર વૃક્ષોને અસર થઈ છે.
જંગલખાતાએ આ કિડા સામેની લડાઈમાં ગ્રામીણોને પણ સામેલ કર્યા છે.
વનખાતાએ 100 કિડાના હાર બદલે 200 રૂપિયા આપવામાં આવે છે.
મધ્ય પ્રદેશના જંગલ ખાતા દ્વારા ચોમાસાની ઋતુમાં સાલના વૃક્ષોની ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે.
સ્થાનિક આદિવાસીઓને આશા છે કે તેમના સામૂહિક પ્રયાસોથી આ વિસ્તારના વિખ્યાત સાલના વૃક્ષોને બચાવી શકાશે.