શું સંદેશ આપી રહ્યા છે આ ચુકાદાથી... કાશી, મુથારામાં પણ આ જ કરતા ચાલો – ઔવેસી
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ચુકાદો આવ્યા બાદ એઆઈએમઆઈએમના અધ્યક્ષ અને સાંસદ અસદઉદ્દીન ઔવેસીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ ઇતિહાસનો એક કાળો દિવસ છે અને ગુનેગારોને ક્લિનચીટ આપવામાં આવી રહી છે.
એમની પત્રકારપરિષદની મુખ્ય વાતો
- આ અંતિમ નિર્ણય નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ હોય છે. કોર્ટના નિર્ણયથી અસહમત થવું અદાલતનો અનાદર નથી. આપે જ ચાર્જશીટમાં લખ્યું છે કે ઉમા ભારતીએ કહ્યું, 'એક ધક્કા ઔર દો', કલ્યાણ સિંહે કહ્યું, 'નિર્માણ પર રોક હૈ, તોડને પર નહીં.' આ ઇતિહાસનો કાળો દિવસ છે. આજે ગુનેગારોને ક્લિનચીટ અપાઈ રહી છે.
- સીબીઆઈ અપીલ કરશે કે કેમ એ જોવાનું છે. તેણે પોતાની સ્વતંત્રતા ચાલુ રાખવી હોય તો અપીલ કરવી જોઈએ. જો એ નહીં કરે તો અમે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડથી કહીશું કે તે આના વિરુદ્ધ અપીલ કરે. એ દિવસ જાદુ થયો હતો કે શું?આખરે આ કોણે કર્યું? જણાવો કે મારી મસ્જિદને કોણે શહીદ કરી?
- બાબરી મસ્જિદના વિધ્વંસના દોષિતોને દોષમુક્ત કરીને સંદેશ અપાયો છે કે કાશી-મથુરામાં પણ આવું જ કરતા ચાલો. રુલ ઑફ લૉની ચિંતા નથી. તેઓ કરતા જશે અને ક્લિનચીટ મળતી જશે.
- દલિતો અને મુસલમાનોના મામલે ન્યાય નથી થતો. આખી દુનિયા સામે ઘટી છ ડિસેમ્બર. કોઈ કહે છે કે ભૂલી જાઓ. આગળ વધો. કઈ રીતે ભૂલી જઈએ. શું સંદેશ આપી રહ્યા છે આ ચુકાદાથી?

ઇમેજ સ્રોત, ani



