બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ
6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.
લાઇવ કવરેજ
અયોધ્યાના ચુકાદા બાદ હું સહકર્મીઓને ડિનર માટે લઈ ગયો અને શ્રેષ્ઠ વાઇન પિવડાવી : પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અયોધ્યાની રામ જન્મભૂમિના ચુકાદા બાદ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ખંડપીઠમાં સામેલ અન્ય જજોને ડિનર માટે ફાઇવ સ્ટાર હોટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને શ્રેષ્ઠ વાઇન પીવડાવી હતી.
આ ગોગોઈના કાર્યકાળના કેટલાક ખ્યાતનામ કિસ્સાઓમાંથી એક છે, જેનો તેમણે પોતાની આત્મકથા ‘જસ્ટિસ ફૉર જજ’માં ઉલ્લેખ કર્યો છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમના પુસ્તકમાં કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓની સાથે-સાથે તેમના વિરૂદ્ધ કરાયેલા જાતીય સતામણીના આક્ષેપો અંગે પણ ઉલ્લેખ કર્યો છે.
રામ જન્મભૂમિના ચુકાદા અંગે તેઓ લખે છે કે, ”ચુકાદો આપ્યા બાદ સેક્રેટરી જનરલ સાથે ફોટોસેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સાંજે હું જજોને ડિનર માટે તાજ માનસિંહ હોટલમાં લઈ ગયો હતો."
"અમે ચાઇનીઝ ભોજન લીધું હતું અને તેમની પાસે ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ વાઇન મગાવી હતી. ઉંમરમાં સૌથી મોટો હોવાને કારણે બિલ પણ મેં જ ચૂકવ્યું હતું.”
મુસ્લિમમાંથી હિંદુ ધર્મ અંગીકાર કરનારા વસીમ રિઝવી કોણ છે?
મુનવ્વર ફારુકીનો શો રદ થતાં ગુજરાતના કૉમેડિયનો શું કહે છે?
મોદી સરકાર શું હવે સીએએ અને એનઆરસી મુદ્દે પણ પીછેહઠ કરશે?
ત્રિપુરામાં થયેલાં હુલ્લડની હકીકત શું છે? બીબીસીનું ઇન્વેસ્ટિગેશન
ભારતમાં જ્યારે હિન્દુ અને મુસલમાનો એક થઈને વિરોધી જૂથ સામે લડ્યા
ગુજરાતમાં જેના પર વિવાદ થઈ રહ્યો છે એ ઈંડાં વિશે જાણવા જેવું
કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના અયોધ્યા પરના પુસ્તકમાં હિંદુત્વ વિશે એવું તો શું છે કે વિવાદ થયો?
રામ ભારતની રાજનીતિનું કેન્દ્રબિંદુ કઈ રીતે બની ગયા?
ભારતમાં ધર્મના આધારે નિશાન બનાવાયેલા લોકોને ન્યાય કઈ રીતે મળે છે?
અરવિંદ કેજરીવાલ રામનામના સહારે શું હાંસલ કરવા માગે છે?
બાંગ્લાદેશને અડીને આવેલા ત્રિપુરામાં મુસલમાનો પર હુમલા કેમ થાય છે?
જાહેરમાં નમાઝ પઢવાને લઈને હંગામો, પોલીસને મળી ધમકીભરી ચિઠ્ઠી
બાંગ્લાદેશમાં કોમી હિંસામાં જે ઇસ્કૉન મંદિરમાં તોડફોડ કરાઈ ત્યાંથી બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ
ઉદ્ધવ ઠાકરેનું ’નવહિંદુ’ અને ભાજપ-રાજ ઠાકરેનું ‘હિંદુત્વ’ ક્યાં એક ક્યાં અલગ?
પાકિસ્તાનમાં ભજવાતી રામલીલા કેવી હોય છે?
ભારત-બાંગ્લાદેશ સરહદની એ દેવી જેની હિંદુ અને મુસલમાન કરે છે પૂજા
'ગુજરાતીને ફ્લૅટ મળશે, મરાઠીને નહીં', શું સોસાયટી જાતિના આધારે મકાન આપવાનો ઇનકાર કરી શકે?
બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મામલે શેખ હસીનાએ ભારતને ચેતવણી કેમ આપી?
