કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર

કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.

લાઇવ કવરેજ

  1. બીબીસીના મહાનિદેશકે સ્ટાફને કહ્યું કે નિડર થઈને રિપોર્ટિંગ કરતા રહો

  2. પીએમ મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું - તેઓ કહે છે કે મોદી તારી કબર ખોદાશે પણ દેશ કહે છે...

  3. આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ: ઑસ્ટ્રેલિયાએ ભારતને સેમિફાઇનલમાં હરાવ્યું

  4. 'બીબીસી ભય વિના કામ કરી શકે', આવકવેરા વિભાગના "સર્વે" બાદ બ્રિટિશ સાંસદોએ ઉઠાવ્યા સવાલ

  5. યુપી : રખડતાં ઢોરની સંભાળ રાખવા માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ

  6. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અચાનક જ કિએવ પહોંચ્યા

  7. ઑસ્ટ્રેલિયા સામે વધુ બે ટેસ્ટ મૅચ માટે ભારતીય ટીમ જાહેર, કેએલ રાહુલને વધુ એક તક

  8. જ્યૉર્જ સોરોસ : જયશંકરે જેમને 'વૃદ્ધ, ધર્માંધ અને ખતરનાક' ગણાવ્યા, એ અબજોપતિ કોણ છે?

  9. કરાચીના પોલીસ વડા મથક પર બંદૂકધારીઓનો હુમલો

  10. ભારતમાં બીબીસીની ઑફિસોમાં ઇન્કમટૅક્સની તપાસ અંગે આંતરરાષ્ટ્રીય મીડિયાએ શું કહ્યું?

  11. ટી20 વિમેન્સ વર્લ્ડ કપ : વેસ્ટ ઇન્ડિઝના 119 રનના લક્ષ્યાંકની સામે ભારતની ઝડપી શરૂઆત

  12. ઍર ઇંડિયાએ 250 વિમાનો ખરીદવાનો સોદો કર્યો

  13. અદાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે રાહુલ ગાંધીએ હવે શું કહ્યું?

    Rahul gandhi

    ઇમેજ સ્રોત, ANI

    રાહુલ ગાંધી કેરળમાં તેમના સંસદીય મત વિસ્તાર વાયનાડ પહોંચ્યા છે, જ્યાં તેમણે એક જાહેર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી વિશે નિવેદન આપ્યું છે.

    તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મોઢેથી અદાણીનું નામ નથી લેતા.

    રાહુલ ગાંધીએ કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભા અને લોકસભામાં પોતાની વાત રજૂ કરે છે, પરંતુ એક વખત પણ તેમના મોઢેથી અદાણીનું નામ નથી લેતા. એનો અર્થ એ છે કે સરકાર આ કાદવમાં ખરાબ રીતે ફસાઈ ગયેલી છે. તપાસથી સરકાર કેમ ભાગી રહી છે."

    રાહુલ ગાંધીએ બીજું શું કહ્યું, અહીં વાંચો...

    • થોડા દિવસો પહેલાં મેં સંસદમાં અમારા વડા પ્રધાન અને અદાણીના સંબંધ વિશે ભાષણ આપ્યું હતું. મેં અત્યંત વિનમ્ર અને સમ્માનજનક રીતે મારી વાત મૂકી. મેં કોઈ પણ પ્રકારની ખરાબ ભાષાનો ઉપયોગ નહોતો કર્યો, કોઈને અપશબ્દો નહોતા કહ્યા, મેં માત્ર કેટલાક તથ્યોને રજૂ કર્યા.
    • મેં માત્ર એ કહ્યું કે અદાણી કેવી રીતે વડા પ્રધાન સાથે વિદેશ યાત્રાઓ કરે છે અને ત્યારબાદ તરત જ આ દેશોમાં તેમને કૉન્ટ્રેક્ટ મળી જાય છે.
    • મેં એ દેખાડ્યું કે કેવી રીતે ઍરપૉર્ટ પર આવનારો 30 ટકા ટ્રાફિક અદાણીના નિયંત્રણમાં છે, કારણ કે તેમના વડા પ્રધાન સાથે સંબંધો છે.
    • મેં એ કહ્યું કે કેવી રીતે નિયમોને બદલવામાં આવ્યા જેથી અદાણીને એ ઍરપૉર્ટ મળી શકે. પહેલાં જે લોકો પાસે ઍરપૉર્ટના સંચાલનનો અનુભવ નહોતો, તેઓ અરજી નહોતા કરી શકતા. પરંતુ અદાણીને પ્રક્રિયામાં સામેલ કરવા માટે નિયમો બદલવામાં આવ્યા.
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    • નીતી આયોગ અને અન્ય સંસ્થાઓએ આ બાબતે ટિપ્પણી કરી અને કહ્યું કે તેમને મંજૂરી ન આપવી જોઈએ પરંતુ તેમ છતાં તેમને મંજૂરી આપવામાં આવી.
    • શ્રીલંકામાં એક સાર્વજનિક સુનાવણી દરમિયાન એક અધિકારીએ એમ કહ્યું કે વડા પ્રધાન મોદીએ અદાણીને બંદરનો કૉન્ટ્રેક્ટ આપવા માટે દબાણ કર્યું હતું.
    • વડા પ્રધાન બાંગ્લાદેશ ગયા તેના થોડા દિવસો બાદ અદાણીને બાંગ્લાદેશમાં વીજળી પૂરી પાડવાનો કૉન્ટ્રેક્ટ મળી જાય છે.
    • અદાણી અને વડા પ્રધાન ઑસ્ટ્રેલિયા જાય છે અને ભારતીય સ્ટેટ બૅંક અદાણીને ખાણના પ્રોજેક્ટ માટે એક અબજ ડૉલરની લોન આપી દે છે.
    • મારા ભાષણ બાદ મારા ભાષણના મોટાભાગના અંશોને ઍડિટ કરી દેવામાં આ્યા અને તેને સંસદના રેકર્ડમાં નોંધવામાં નથી આવ્યા.
    • દરઅસલ અદાણી અને અંબાણીના નામો એક સાથે લેવું વડા પ્રધાનના અપમાન માની લેવામાં આવે છે. પરંતુ તમે વડા પ્રધાન અને તેમની સાથેની તસવીરો ઇંટરનેટ પર જોઈ શકો છો. વડા પ્રધાન અદાણીના વિમાનમાં હસી રહ્યા છે. જ્યારે વડા પ્રધાન કોઈ દેશમાં હોય છે, તો અદાણી કોઈ જાદુથી ત્યાં પહોંચી જાય છે.
    • મેં જે કંઈ પણ કહ્યું હતું તે બધું જ ઇંટરનેટ પર ઉપલબ્ધ છે. તમે આ પ્રશ્નો પૂછો અને ગૂગલ પાસેથી તમને બધું જ મળી જશે.
  14. ભારતને 'મુસલમાનોની પહેલી માતૃભૂમિ' ગણાવનાર મહમૂદ મદનીએ હિન્દુ રાષ્ટ્ર, ભાજપ અને RSS પર શું કહ્યું?

  15. જસ્ટિસ નઝીરની રાજ્યપાલ તરીકે નિમણૂક લોકશાહી પર ડાઘ છે: સીપીએમ સાંસદ

    રાજ્યસભા સાંસદ એ.એ. રહીમ

    ઇમેજ સ્રોત, Sansadtv

    ઇમેજ કૅપ્શન, રાજ્યસભા સાંસદ એ.એ. રહીમ

    કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માર્કસવાદી)ના નેતા અને રાજ્યસભાના સાંસદ એ.એ. રહીમે આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે જસ્ટિસ નઝીરની નિમણૂકની ટીકા કરી છે.

    તેમણે કહ્યું કે આ નિમણૂક બંધારણીય મૂલ્યો અનુસાર નથી.

    ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું, "તેમણે (નઝીર) આ પ્રસ્તાવ સ્વીકારવાનો ઇનકાર કરી દેવો જોઈતો હતો. દેશનો કાનૂની વ્યવસ્થામાંથી વિશ્વાસ જતો ન રહેવો જોઈએ. મોદી સરકારના આવા નિર્ણયો ભારતીય લોકશાહી પર કલંક સમાન છે."

    તેમણે કહ્યું કે, "તેઓ અયોધ્યા કેસમાં ચુકાદો આપનારી બેન્ચના સભ્ય હતા. તેમણે 26 ડિસેમ્બર, 2021ના રોજ હૈદરાબાદમાં ઑલ ઈન્ડિયા એડવોકેટ્સ કાઉન્સિલ (એબીએપી)ની બેઠકમાં પણ ભાગ લીધો હતો, ત્યારબાદ વિવાદ થયો હતો. આ પરિષદ સંઘ પરિવાર સાથે જોડાયેલી છે."

    જસ્ટીસ નઝીર

    ઇમેજ સ્રોત, Supreme Court Bar Association

    ઇમેજ કૅપ્શન, જસ્ટીસ નઝીર

    કર્ણાટકના જસ્ટિસ નઝીર તાજેતરમાં 4 જાન્યુઆરીએ નિવૃત્ત થયા હતા. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે તેઓ ઘણા મહત્ત્વના નિર્ણયોમાં સામેલ રહ્યા છે.

    નવેમ્બર 2019માંઅયોધ્યા વિવાદ પર સર્વસંમતિથી આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પાંચ જજોની બેન્ચમાં તેઓ એકમાત્ર મુસ્લિમ જજ હતા. ઉપરાંત, તેઓ ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરતા સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં પણ સામેલ હતા.

    જેણે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો તે ડિવિઝન બેંચમાં જસ્ટિસ નઝીર પણ સામેલ હતા.

    સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તેમનો જન્મ 5 જાન્યુઆરી, 1958ના રોજ કર્ણાટકમાં થયો હતો.

    તેમણે 1983માં કર્ણાટક હાઈકોર્ટમાંથી વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને 2003માં કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ બનાવવામાં આવ્યા હતા. તેમને ફેબ્રુઆરી 2017માં સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા.

  16. જસ્ટિસ નઝીરની રાજ્યપાલ તરીકેની નિમણૂક લોકતંત્ર પર ડાઘ છે : સીપીએમના સાંસદ

  17. અદાણી મામલે પીએમ મોદીના મૌનનો અર્થ શું છે?

  18. વડા પ્રધાન મોદીએ કહ્યું, "મુસ્લિમ વ્હોરા સમુદાય સાથે ચાર પેઢીઓનો સંબંધ"

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, ANI

    શુક્રવારે મુંબઈમાં મુસ્લિમ દાઉદી વ્હોરા સમુદાયના એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા.

    તેમણે કહ્યું કે વ્હોરા સમુદાય સાથે તેમનો ચાર પેઢીઓથી સંબંધ છે.

    તેમણે કહ્યું, "મારું સૌભાગ્ય છે કે હું આ સમુદાય સાથે છેલ્લી ચાર પેઢીઓથી જોડાયેલો છું, હું તમારા પરિવારનો સભ્ય છું."

    વડા પ્રધાને દાઉદી વ્હોરા સમુદાય દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યોના વખાણ કર્યા હતા.

    તેમણે કહ્યું, "વ્હોરા પરિવારના લોકો, ભલે તે વિશ્વના કોઈ પણ ખૂણે હોય, જ્યારે હું ત્યાં જાઉં તો મને મળવા આવે છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    વડા પ્રધાને મુંબઈમાં દાઉદી વ્હોરા સમુદાયની પ્રમુખ શૈક્ષણિક સંસ્થા અલ જામિયા-તુસ-સૈફિયા અરેબિક ઍકેડેમીનું ઉદ્ઘાટન કર્યું હતું.

    આ સાથે જ શુક્રવારે તેમણે મુંબઈમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાવી હતી.