કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર

કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.

લાઇવ કવરેજ

  1. 'ભારતના ગિરમીટિયા મજૂરો' મોરિશિયસમાં સમૃદ્ધિ અને સત્તાની ટોચે કઈ રીતે પહોંચ્યા?

  2. ભારતમાં આતંકી હુમલાની આશંકા અંગે સેનાપ્રમુખે શું કહ્યું?

  3. વડા પ્રધાન મોદી વિશે રાહુલ ગાંધીએ કહ્યું, એ દેશ નથી, માત્ર એક નાગરિક છે

  4. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપે ગુજરાતમાં 34,900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કામ રોક્યું

  5. અમેરિકાએ બે વર્ષ બાદ એરિક ગાર્સેટીને ભારતમાં પોતાના રાજદૂત બનાવ્યા, તેઓ વિવાદમાં કેમ હતા?

  6. નેપાળમાં હિન્દુત્વનું રાજકારણ કેવી રીતે વિસ્તરી રહ્યું છે, તેની મુસલમાનો પર થાય છે કેવી અસર?

  7. પંજાબ પોલીસે અમૃતપાલ સિંઘ સામે કરી કાર્યવાહી, સમગ્ર પંજાબમાં ઇન્ટરનેટ બંધ

  8. નરેન્દ્ર મોદીએ પોતાનાં વિદેશી સંબોધનોમાં શું શું કહ્યું?

  9. હિમંત બિસ્વા શર્માએ કહ્યું, હું 600 નહીં, તમામ મદરેસા બંધ કરવા માગું છું

    હિમંત બિસ્વા સરમા

    ઇમેજ સ્રોત, ANI

    આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કહ્યું હતું કે, તેઓ આસામમાં 600 નહીં, પરંતુ તમામ મદરેસા બંધ કરવા માગે છે, કારણ કે દેશમાં સ્કૂલ, કૉલેજની જરૂર છે.

    હિમંત બિસ્વા શર્માએ ગુરુવારે કર્ણાટકના બેલગાવીમાં એક રેલી દરમિયાન આ વાત કહી હતી.

    તેઓએ કહ્યું હતું કે, “હું આસામ જેવા પ્રદેશમાંથી આવ્યો છું, જ્યાં બાંગ્લાદેશમાંથી લોકો રોજ આવે છે. તેઓ આપણી સભ્યતા અને સંસ્કૃતિ માટે જોખમ પેદા કરે છે. ટીવી ઍન્કરે મને કહ્યું કે તમે 600 મદરેસા બંધ કરી દીધા છે. તમારો ઇરાદો શું છે.”

    “મેં કહ્યું હતું કે હજુ મેં 600 મદરેસા બંધ કર્યા છે, પરંતુ મારો ઇરાદો તમામ મદરેસા બંધ કરવાનો છે. તેઓએ કહ્યું કે તમે આવું કેવી રીતે બોલી શકો છો, ત્યારે મે કહ્યું કે અમારે મદરેસાની જરૂર નથી, અમને ડૉક્ટર, એન્જિનિયર બનાવવા માટે સ્કૂલ, કૉલેજ અને વિશ્વવિદ્યાલયની જરૂર છે. નવા ભારતમાં મદરેસાની જરૂર નથી.”

    આ સિવાય તેઓએ કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “એક સમયે આપણા દિલ્હીના બાદશાહે મંદિર તોડવાની વાત કરી હતી. આજે વડા પ્રધાન મોદીના શાસનમાં આપણે મંદિર નિર્માણની વાત કરી રહ્યા છે.”

    “આ નવું ભારત છે જેની અર્થવ્યવસ્થા બ્રિટન કરતાં વધુ મજબૂત છે, જે પોતાની વૅક્સિન જાતે બનાવી શકે છે. આજે કૉંગ્રેસ આ નવા ભારતને નબળું પાડવાનું કામ કરી રહી છે. જેમ પહેલા મુગલો ભારતને નબળું બનાવી રહ્યા હતા, તેમ કૉંગ્રેસ આજનું મુગલ છે.”

  10. સુરતની કોર્ટમાં રાહુલ સામે બદનક્ષીના કેસમાં આજે અંતિમ દલીલો

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, INC

    સુરતની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીના કેસની અંતિમ દલીલ પર શુક્રવારે સુનાવણી યોજશે. બચાવ પક્ષના વકીલ કિરીટ પાનવાલાએ ગુરુવારે આ માટે વધારે સમય માગ્યો હતો.

    સુરત પશ્ચિમની વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્ણાટકના કોલારની એક ચૂંટણીસભા દરમિયાન રાહુલ ગાંધીની કથિત ટિપ્પણી વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો હતો.

    એ ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે"શા માટે બધા ચોરોના નામમાં મોદી છે, પછી ભલે તે નીરવ મોદી હોય, લલિત મોદી હોય કે નરેન્દ્ર મોદી?"

    મોદીના નામનો કોઈ સમુદાય નથી, એવી દલીલ કરતાં બચાવ પક્ષના વકીલે કહ્યું હતું, "ફરિયાદમાંસુરત મોઢવાણિક સમાજને મોદી સમાજ (સમુદાય) તરીકે દર્શાવ્યો છે.સુરત મોઢવાણિક સમાજના બંધારણના કોઈપણ દસ્તાવેજોમાં મોદી સમાજનો કોઈ પુરાવો નથી."

    ફરિયાદી મુજબ ભારતમાં 13 કરોડથી વધુ મોદી લોકો રહે છે જે અંગે પાનવાલાની દલિત હતી કે તું કે, “કોર્ટમાં કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી."

    'ઈન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતાં પાનવાલાએ કહ્યું હતું કે, "અમે કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે, અમને આશા છે કે અંતિમ નિર્ણય શુક્રવારે જાહેર થશે.."

    28 ફેબ્રુઆરીના રોજ કોર્ટ સમક્ષ તેમની અંતિમ રજૂઆતમાં પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ અગાઉનાં ઉદાહરણો ટાંકીને ઉલ્લેખ કર્યો હતો કે,'રાહુલ ગાંધીને જાહેર સભાઓમાં બદનક્ષીભર્યા નિવેદનો આપવાની ટેવ છે અને તેમને રોકવા માટે કંઈક કરવું જોઈએ.'

  11. ગુજરાતમાં 119 કોરોનાના નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 62 કેસ

    કોરોના કેસ

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    ગુજરાતમાં ગુરુવારે 119 નવા કોરોના કેસ નોંધાયા છે. 155 દિવસ બાદ દૈનિક કેસ 100ને પાર કરી ગયા છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, નવા કેસમાં અમદાવાદમાંથી 62, રાજકોટ અને સુરતમાંથી 10-10 અને મહેસાણામાંથી 9 મામલા સામેલ છે.

    આ સાથે જ સક્રિય કેસની સંખ્યા 435 સુધી પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, કૂલ સક્રિય કેસમાંથી 4 વૅન્ટિલેટર પર હતા. અમદાવાદમાં 230 સક્રિય કેસ હતા, ત્યારબાદ સુરતમાં 42 અને રાજકોટમાં 40, મહેસાણામાં 31 ને વડોદરામાં 23 કેસ હતા.

    ગુરુવારે ગુજરાતમાં સમગ્ર પરીક્ષણ પૉઝિટિવિટી દર 1.1 ટકા રહ્યો હતો, ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડાએ સંકેત આપ્યો છે કે બુધવારની સરખામણીએ ત્રણ જિલ્લામાં ટીપીઆર 5 ટકા વધારે હતો. ગીર- સોમનાથમાં 11.8 ટકા, બોટાદમાં 10 ટકા અને વડોદરામાં 5.9 ટકા રહ્યો છે, જ્યારે અમદાવાદમાં ટીપીઆર 3.8 ટકા હતો.

  12. ઇસ્લામાબાદ હાઇકોર્ટે પોલીસને કહ્યું ઇમરાન ખાન રજૂ થાય ત્યાં સુધી ધરપકડ ન કરશો

  13. ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ અને H3N2નો ભય કેટલો વાજબી છે?

  14. એ શખ્સ જેણે પોતાના પર રસીના પ્રયોગો કરીને ભારતને મહામારીઓમાંથી બચાવ્યું

  15. "મને લાગે છે કે તેઓ મને સંસદમાં નહીં બોલવા દે." રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને આવું કેમ કહેવું પડ્યું?

  16. અદાણી મામલે વિપક્ષની ઇડીની ઑફિસ સુધીની કૂચ અટકાવાઈ, ખડગેએ સરકારની ઝાટકણી કાઢી

    દિલ્હી

    ઇમેજ સ્રોત, ANI

    બુધવારે વિપક્ષની કૂચ દરમિયાન ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 લાગુ કરવાના નિર્ણયની ટીકા કરતાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિર્ણયને “લોકતંત્ર ખતરામાં હોવાની વાતનું વધુ એક ઉદાહરણ” ગણાવ્યો.

    સમાચાર સંસ્થા એએનઆઈના એક અહેવાલ અનુસાર તેમનું આ નિવેદન અદાણી સ્ટૉક મામલે આવેદન આપવા માટે પ્રવર્તન નિદેશાલય(ઇડી)ની ઑફિસ સુધી કૂચ કરીને જતાં વિપક્ષના સાંસદોને વિયજ ચોક ખાતે રોકી દેવાયા બાદ આવ્યું હતું.

    એએનઆઈ સાથેની વાતચીતમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “એક તરફ ભાજપ લોકશાહીમાં વિશ્વાસ કરતો હોવાની વાત કરે છે, તો બીજી બાજુ તેઓ શાંતિપૂર્વક કૂચ કરી રહેલા સાંસદોને રોકી રહ્યા છે, અને એ પણ જાહેરમાં. જે વ્યક્તિ એવું કહે છે કે લોકશાહી ખતરામાં છે તેને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવે છે.”

    “અમને આવેદન આપતાં રોકાયા, અમે આ કાર્યવાહીની નિંદા કરીએ છીએ.”

    નોંધનીય છે કે વિપક્ષ આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવાની માંગણી કરી રહ્યો છે.

    ખડગેએ આરોપ મૂક્યો હતો કે સરકાર સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાથી બચી રહી છે.

  17. અદાણી મામલે વિપક્ષની ઇડી ઑફિસ સુધીની કૂચ અટકાવાઈ, ખડગેએ મોદી સરકારની ઝાટકણી કાઢી

  18. પાકિસ્તાનમાં હાઈવૉલ્ટેજ ડ્રામા, ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે પહોંચેલી પોલીસ પર કાર્યકરોનો પથ્થરમારો

  19. યુક્રેનમાં યુદ્ધ ચાલતું હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓ કેમ પાછા જઈ રહ્યા છે?

  20. અમેરિકન બૅન્કોની ભારતીય શૅરબજારો પર અસર, રોકાણકારોને રૂ. 4.4 લાખ કરોડનું નુકસાન