1 જાન્યુઆરી, 2024 સુધીમાં રામમંદિર તૈયાર થઈ જશે: અમિત શાહ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ત્રિપુરાના સબરૂમમાં જન વિશ્વાસ યાત્રા દરમિયાન પોતાના ભાષણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રામમંદિર બનીને તૈયાર થવા અંગેની તારીખ જણાવી હતી.
તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું, "જ્યારથી બાબર તોડીને ગયો અને દેશ આઝાદ થયો ત્યારથી કૉંગ્રેસ રામમંદિરના મુદ્દાને વિવિધ કોર્ટમાં ફેરવી રહી હતી."
"મોદીજી સત્તામાં આવ્યા ત્યારે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચુકાદો આપ્યો અને તે "જ દિવસે તેમણે રામમંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું, "2019માં હું પાર્ટી(ભાજપ)નો અધ્યક્ષ હતો અને રાહુલબાબા તેમની પાર્ટીના અધ્યક્ષ હતા. ત્યારે તેઓ ઘણી વખત કહેતા હતા કે 'મંદિર બનાયેંગે પર તારીખ નહીં બનાયેંગે'"
"તો આજે રાહુલબાબા કાન ખોલીને સાંભળી લે કે 1 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં ગગનચુંબી રામમંદિર તૈયાર હશે."





