સોનમ વાંગચુકે કહ્યું, 'શિક્ષણ પહેલાં મીડિયામાં સુધારની જરૂર'
સોનમ વાંગચુકનાં પત્ની ડૉ ગીતાંજલિ અંગમોએ કહ્યું કે શિક્ષણ પહેલાં મીડિયામાં સુધારની જરૂર છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ડૉ. ગીતાંજલિ અંગમોએ લખ્યું કે, "બધા શિક્ષણમાં સુધારની માંગ કરી રહ્યા છે. આ એક સારો વિચાર છે. પરંતુ શું આપણે મીડિયામાં સુધાર સાથે શરૂઆત કરી શકીએ?"
તેમણે કહ્યું, "જે દેશને દરરોજ પ્રચાર અને પ્રોપેગંડા પીરસવામાં આવે, તેને શિક્ષિત ન કરી શકાય. તેને માત્ર એક ચોક્કસ વિચારસરણી અનુસાર ઢાળી શકાય છે."
તેઓ કહે છે કે, "આજે સૌથી વધારે પ્રભાવિત કરનાર કોઈ શિક્ષક નહીં પરંતુ ટીવી સ્ટુડિયો, વૉટ્સઍપ ફૉરવર્ડ, યુટ્યૂબ ચૅનલ અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારા લોકો છે. આમાંથી કેટલાક અમને સમજતા પહેલાં નફરત કરવા, વિચારતા પહેલાં પ્રતિક્રિયા આપવા અને સચ્ચાઈને બદલે ચોક્કસ કહાણીઓ પર ભરોસો કરવાનું શીખવે છે."
તેમણે આગળ કહ્યું, "ભલે આપણે પોતાને અંધભક્ત કહીએ અથવા કોઈ અન્ય રાજનીતિક ઓળખ સાથે જોડો, આપણને બધા કોઈ હદ સુધી પક્ષપાતી અને સંકીર્ણ વિચારસરણી બનાવવા માટે પ્રભાવિત કરવામાં આવ્યા છે."
તેઓ આગળ કહે છે કે શિક્ષણ સુધારની વાત પછી કરીએ, પહેલાં મીડિયામાં સુધાર કરીએ.